Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

બારડોલી : બારડોલી BAPS સ્વામિનારાયણ મંદિરના ત્રીદશાબ્દિ મહોત્સવ નિમિત્તે “જીવન જીવવાની કળા” વિષયક પારાયણનું ભવ્ય આયોજ.

બારડોલી BAPS સ્વામિનારાયણ મંદિરના ત્રીદશાબ્દિ મહોત્સવ નિમિત્તે “જીવન જીવવાની કળા” વિષયક પારાયણનું ભવ્ય આયોજન*


બારડોલી: BAPS સ્વામિનારાયણ મંદિર, બારડોલીના ત્રીદશાબ્દિ મહોત્સવ નિમિત્તે”જીવન જીવવાની કળા” વિષય પર તા. ૧૫, ૧૬, ૧૭ માર્ચ દરમિયાન પારાયણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
સારંગપુર થી પધારેલા વક્તા સંત પૂજ્ય જ્ઞાનનયન સ્વામી(વેદાંતાચાર્ય, PhD)એ ઉપસ્થિત હરિભક્તોને જીવન જીવવાની કળા અંગે ભારતીય શાસ્ત્રો અને ભારતીય પરંપરાના ઉદાહરણો દ્વારા ઊંડી સમજ આપી.
તેમણે સમજાવ્યું કે આ દેહમાં આપણે મહેમાન છીએ. જ્યા સુધી દેહને પોતાનું સ્વરૂપ માનશું, ત્યાં સુધી આપણું જીવન સંકટોથી ભરેલું રહેશે. પરંતુ જ્યારે આપણે આત્મા, અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મના સ્વરૂપને સમજીને જીવન જીવીશું અને “અક્ષરં અહમ્ પુરુષોત્તમ દાસોસ્મિ” મંત્રને ધારણ કરીશું, ત્યારે સુખમય અને શાંત જીવન શક્ય બનશે.
જીવનમાં કર્તવ્યો નિભાવવાની સાથે આત્માનું અનુસંધાન રાખવું જરૂરી છે. ભગવાન જે કરે તે હંમેશા ભલા માટે જ હોય છે. સારા કર્મનું સારું ફળ અને ખરાબ કર્મનું ખરાબ ફળ મળે છે, પણ પરમાત્માની શરણાગતિ વિના કર્મના બંધનમાંથી મુક્તિ શક્ય નથી.

સાચા સંતો અને ભગવાનની કૃપા દ્વારા જ જીવનનો પરમ ઉદ્દેશ્ય પ્રાપ્ત કરી શકાય. આ રીતે પૂજ્ય જ્ઞાનનયન સ્વામીએ જીવનને સુખમય અને શાંત બનાવવાના આધ્યાત્મિક સિદ્ધાંતો પર પ્રકાશ પાડ્યો અને ધાર્મિક જીવનના મૂળભૂત સિદ્ધાંતોને સરળ ભાષામાં સમજાવ્યા. આ પારાયણમાં શહેરના અનેક મહાનુભાવો તથા ૧૧૦૦ થી વધુ મુમુક્ષુ ભક્તોએ દરરોજ ખૂબ સારી રીતે લાભ લીધો હતો. સાકરી મંદિર થી સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વિશિષ્ટ પારાયણ દ્વારા આત્મશુદ્ધિ અને આધ્યાત્મિક વિકાસના માર્ગે ચાલવા માટે સર્વેને પ્રેરણા મળી.
પારાયણના અંતિમ દિવસે સાંકરી મંદિરના કોઠારી પૂજ્ય પુણ્યદર્શન સ્વામીએ પ્રેરણા વચનોનો લાભ આપી, પારાયણમાં ઉપસ્થિત મહાનુભવોનું હારતોરા દ્વારા અભિવાદન કર્યું અને પૂજ્ય ધ્યાનજીવન સ્વામીએ આભાર વિધિ દ્વારા પારાયણ નું સમાપન કર્યું હતું
– BAPS સ્વામિનારાયણ મંદિર, બારડોલી

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement