
સુરત જિલ્લા ના બારડોલી માં આજે વિવિધ હિન્દૂ સંગઠનો દ્વારા ધરણા પ્રદર્શન અને રેલી નું આયોજન કરાયું હતું. તાજેતર માં બાંગ્લાદેશ માં હિન્દૂ ઓ પર થયેલ દમન મામલે રેલી યોજાઈ હતી. મોટી સંખ્યા માં સર્વ સમાજ ના લોકો જોડાયા હતા.


હાલ માજ બાંગ્લાદેશ માં હિન્દૂ ઓ પર થયેલ દમન મામલે દેશભરમાં આક્રોશ છે. ત્યારે બારડોલી માં આજે ધરણા પ્રદર્શન અને રેલી નું આયોજન કરાયું હતું. ઘણા સમય થી બાંગ્લાદેશ માં હિંદુઓ ઉઓર તેમજ ધાર્મિક સ્થાનો ઉપર અત્યાચાર અને દમન થઈ રહ્યાં છે. દેશ ભર માં આક્રોશ વધી રહ્યો છે. ત્યારે આજે બારડોલી ખાતે સ્વરાજ આશ્રમ મેદાન ખાતે ધરણા પ્રદર્શન તેમજ રેલી નું આયોજન કરાયું હતું. જેમાં બારડોલી પ્રદેશના સર્વ સમાજના આગેવાનો તેમજ નાગરિકો આ રેલીમાં જોડાયા હતા. સૌ પ્રથમ બારડોલી સ્વરાજ આશ્રમ મેદાન ખાતે ભેગા થયાં હતાં. જેમાં મોટી સંખ્યા માં મહિલાઓ પણ વિવિધ પ્લે કાર્ડ સાથે રેલી માં જોડાઈ હતી.
બારડોલી ના રાવરાજ આશ્રમ મેદાન થી નીકળેલી રેલી રાજમાર્ગ ઉપર નિકળી હતી. સ્વરાજ આશ્રમ મેદાન મુદિત પેલેસ થઈ જલારામ મંદિર થી સરદાર ચોક થઈ પ્રાંત કચેરી સુધી રેલી નિકળી હતી. પ્રાંત કચેરી એ રેલી નું સમાપન કરાયું હતું. જ્યાં બાંગ્લાદેશ માં હિન્દૂ ઓ ના જીવ પણ ગયા છે તેમજ કલકત્તા માં મહિલા તબીબ સાથે બનેલ ઘટના સંદર્ભે બે મિનિટ મૌન પણ પાડવામાં આવ્યું હતું. અને બાદ માં રાજ્ય ના મુખ્ય મંત્રી , વડા પ્રધાન તેમજ રાષ્ટ્રપતિ ને સંબોધી આવેદન પણ આપવામાં આવ્યું હતું.
