Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

બારડોલી : સાંકરી સ્વામિનારાયણ મંદિર મુકામે રક્ષાબંધન નું પર્વ ઉજવાયું

સાંકરી સ્વામિનારાયણ મંદિર મુકામે રક્ષાબંધન નું પર્વ ઉજવાયું

બારડોલી તાલુકાના સાકરી મુકામે આવેલ સ્વામિનારાયણ મંદિર મુકામે ભક્તોની વિશાળ હાજરીમાં રક્ષાબંધન પર્વ ધામધૂમથી ઉજવાયું .

શ્રાવણી પર્વ રક્ષાબંધનના દિવસે મંદિર મુકામે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટ્યા હતા. ભગવાનને રંગબેરંગી રાખડીઓના શૃંગાર કરાયા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોને સારંગપુરના સંતોએ રક્ષાબંધન નો મહિમા અને ઇતિહાસ સમજાવ્યા હતા. વાચસ્પતિ સંત આત્મતૃપ્ત સ્વામી એ ભગવાન અને ગુરુ કેવી રીતે રક્ષા કરે છે તે વિશે સુંદર માર્ગદર્શન આપ્યું હતુ. સાકરી મંદિરના કોઠારી પુણ્ય દર્શન સ્વામી એ મંદિરમાં અનેક લોકોના જીવન પરિવર્તનના પ્રસંગો જણાવી પ્રમુખસ્વામી મહારાજ દ્વારા અપાયેલી સાકરી મંદિરની ભેટ ને ઉપકાર જણાવી હતી. રક્ષાબંધનના દિવસે મંદિરમાં હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટ્યા હતા. સંતો દ્વારા તમામને રાખડી બાંધી તેઓની રક્ષા માટે પ્રાર્થના અને મનોકામના વ્યક્ત કરી હતી. સવાર સાંજ મંદિર મુકામે મહાપ્રસાદ સાથે રક્ષાબંધનના પર્વની ભાવસભર ઉજવણી કરાઈ હતી.

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement