
- બારડોલી નગર વાસીઓને ગણપતિ વિસર્જન માં પડી શકે છે મુશ્કેલી ,નગરપાલિકાએ એ જગ્યા એ મીંઢોળા કિનારે ઓવરો વનાવ્યો હતો એ પ્રાઇવેટ માલિકીની જગ્યાના માલિકના પક્ષે કોર્ટ માં નિર્ણય આવતા આજે ઓવરનો કેટલોક હિસ્સો તોડવામાં આવ્યો
બારડોલી નગરપાલિકા વિસ્તારમાં ગણેશઉત્સવ દરમ્યાન આશરે ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે અને ગણપતિ વિસર્જન ના દિવસે ચાર ફૂટ થી નાની ગણેશ પ્રતિમાઓનું મીંઢોળા નદીમાં રામજી મંદિર નજીક વિસર્જન કરવામાં આવે છે ,વર્ષ 1999 માં નગર પાલિકા દ્વારા વિસર્જન માટે અહીં પગથિયાં બનાવવામાં આવ્યા હતા અને વર્ષ 2007 માં આ જગ્યા પર સિમેન્ટ કોન્ક્રીત કરી ઓવરા ને મોટો કરવામાં આવ્યો હતો ,જોકે ઓવરો મોટો કરવામાં કેટલીક જગ્યા ખાનગી માલિકની પણ લઈ લેવામાં આવી હતી ,જોકે જમીન બળવંત સિંહ પરમાર દ્વારા પોતાની જગ્યા પરત લેવા માટે કોર્ટ માં અરજી કરી હતી ,હાલ માજ કેસ કોર્ટ માં ચાલી જતા નામદાર કોર્ટ દ્વારા દિવસ 7 માં મૂળ માલિકને જમીન પરત કરવાનો હુકમ કરતા આજરોજ ઓવરો તોડવામાં આવ્યો હતો અને જમીન મૂળ માલિકને સુપ્રદ કરવામાં આવી હતી , જેને લઈ હવે તહેવાર માટે છે ત્યારે બારડોલી નગરમાં સ્થાપિત કરવામાં આવતી ગણેશ પ્રતિમા વિસર્જન ક્યાં કરવી એ સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે ??
