
કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા તુલસી વિવાહના રોજ 29 માં સમુહ વિવાહની તડામાર તૈયારીઓ વલથાણ ખાતે ચાલી રહી છે.


કચ્છ કડવા પાટીદાર સમાજ દક્ષિણ ગુજરાત ઝોન દ્વારા 29 મો સમૂહ વિવાહ નું આયોજન 12 નવેમ્બર તુલસી વિવાહ નાં રોજ વલથાણ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં કુલ 24 યુગલો પ્રભુતામાં એક માંડવે પગલાં પાડશે આ લગ્ન સાથે આરોગ્ય નો કેમ્પ કિરણ હોસ્પિટલ દ્વારા અને રક્તદાન કેમ્પ તેમજ ઓર્ગન ડોનેશન ની પ્રેરણા માટે નું આયોજન કરવામાં આવ્યું છે. સમૂહ લગ્નમાં દરેક કન્યા ને ગૃહ જીવન નાં તમામ ઉપયોગી સાધન સાથે 500 ગ્રામ ભગવાન લક્ષ્મી નારાયણ ની મૂર્તિ અને 12 ગ્રામ નો સોનાનો દાગીનો અર્પણ કરવામાં આવશે તેમજ દરેક વરરાજા ને તલવાર અર્પણ કરવામાં આવેલ છે અને હિન્દુ પરંપરા મુજબ તેઓ તે ધારણ કરી ને લગ્ન મંડપ માં પધારશે ભારતીય સંસ્કૃતિ અનુસાર વરરાજા કપાળે ભવ્ય તિલક અને દાઢી વિના લગ્ન મંડપ માં આગમન કરશે ત્યારે સુંદર વેશ પરિધાન માં આયોજક એક સરખા ડ્રેસ પરિધાન કરી તેઓ નું સ્વાગત કરવામાં આવશે આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન મહિલાઓના ઉત્થાન અને વિકાસ માટે મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલી ચીજ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવા માટેની એસયુવી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
